Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દ કો ભૂલના શિખાતે હૈ, રંગ જૈસે જીના શિખાતે હૈ....
'છોટી કાશી' જામનગરમાં હોળી-ધૂળેટી પર્વને લઈને બજારમાં રંગો અને પિચકારીઓનું આગમન થઈ ગયું છે. છેલ્લા થોડા વર્ષોમાં આવેલી જાગૃતિને કારણે આ વખતે પણ લોકો હર્બલ કલરને પ્રાથમિકતા આપી રહ્યાં છે. સામાન્ય કલર ૩૦-૪૦ રૂપિયા કિલો, જ્યારે હર્બલ કલર ૩૦-પ૦ રૂપિયા ૧૦૦ ગ્રામના ભાવે ઉપલબ્ધ છે. પિચકારીઓમાં પણ અઢળક વેરાયટીઓ ઉપલબ્ધ છે. પિચકારીઓમાં રૂ।. ૧૦ થી લઈને ૩ હજાર સુધીની કિંમતમાં અવનવી પિચકારીઓનું વેંચાણ થઈ રહ્યું છે. બાળકોને આકર્ષતી કાર્ટૂન કેરેક્ટર વાળી પિચકારીઓ ઉપરાંત ચંદ્રયાન અને મશીનગન ટાઈટની પિચકારીઓ પણ લોકપ્રિય છે. હોળી-ધૂળેટી પર્વ નજીક આવતાની સાથે જ રંગોની બજારમાં રોનક વધતી જશે. હોળી-ધૂળેટીના તહેવાર પર શહેરમાં ૧પ દિવસમાં જ રંગો-પિચકારીઓની બજારમાં અંદાજીત ૩૦-૩પ લાખનું ટર્નઓવર થવાની શક્યતા છે. જીવનની વિવિધ મુશ્કેલીઓ-પડકારોને થોડીવાર ચિંતામુક્ત થવાની તક આપતો ધૂળેટીનો તહેવાર વિટંબણાઓ વચ્ચે પણ હિંમતનો 'રંગ રાખવાની' પ્રેરણા આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial