Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે
જામનગર તા. ૧૮: નવરાત્રિ દરમિયાન કચ્છમાં માતાના મઢે દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને લઈ જામનગર જિલ્લા હોમગાર્ડઝ દ્વારા પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે અકસ્માતથી બચવા જામનગરના ખીજડિયા બાયપાસ પાસે સેફ્ટી જેકેટનું વિતરણ તથા રેડિયમ રિફ્લેક્ટર ટેપ લગાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં માતાના મઢે ચાલીને જઈ રહેલા શ્રદ્ધાળુઓને તેઓની સલામતી વિશે સમજાવી તેમની સાથે રહેલ બેગ તથા લાકડીની પાછળ રેડિયમ પટ્ટી લગાવી રાત્રે થતા અકસ્માતો નિવારવાનું કાર્ય હાથ ધરાયું હતું. આ કેમ્પમાં જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ગિરિશભાઈ સરવૈયા, પંચકોષી 'બી' ડિવિઝનના પી.આઈ. શેખ, રૂટ મેનેજર રાજકોટ-વાડીનાર પ્રાઈવેટ લિમિટેડના તેજસ ભીંડી, રૂટ ઓફિસર કલ્પેશ શુક્લા, રૂટ સ્ટાફ સહિતનાઓ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial