Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨૧ વાહનની કરવામાં આવી હરાજીઃ
જામનગર તા. ૧: જામનગર જિલ્લા પોલીસ દ્વારા કેટલાક ગુન્હાઓમાં ઝડપાયેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવી હતી. તેમાં પાંચ પોલીસ મથક દ્વારા જપ્ત કરાયેલા ૩૨૧ વાહન ભંગારમાં કાઢવામાં આવ્યા હતા. તેમાંથી રૂ.૧૨ લાખ પ૬ હજારની રકમ ઉપજતા તે રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાની તજવીજ કરાઈ છે.
જામનગર જિલ્લા પોલીસ દ્વારા એમવી એક્ટના જુદા જુદા ગુન્હાઓમાં ડીટેઈન કરવામાં આવેલા વાહનો તેમજ જીપી એકટની કલમ ૮૨ (ર), બીએનએસએસની કલમ ૧૦૬, સીઆરપીસી ૧૦૨ હેઠળ કબજે થયેલા વાહનોના નિકાલ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધા અધ્યક્ષ તરીકે નિમાયા હતા અને ધ્રોલ, જોડિયા, પંચકોશી એ ડિવિઝન, કાલાવડ શહેર તથા ગ્રામ્ય એમ પાંચ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની તેમાં નિયુક્તિ કરાઈ હતી.
આ પાંચ પોલીસ મથકમાં જમા કરવામાં આવેલા ૩૨૧ વાહનના નિકાલ માટે ચર્ચા થયા પછી આ વાહનોની જાહેર હરરાજી યોજવા નક્કી કરાયું હતું અને તે માટે અપસેટ પ્રાઈઝ નક્કી થઈ હતી. તે હરાજી અંતર્ગત ભંગારના વ્યપારીઓને આંમત્રિત કરાયા હતા અને ગઈકાલે ધ્રોલ પોલીસ મથકમાં વેપારીઓને ઉપરોક્ત વાહનો બતાવી હરરાજી યોજવામાં આવી હતી.
આ વેળાએ ધ્રોલના પીઆઈ એચ.વી. રાઠોડ, પંચકોશી એ ડિવિઝનના પીઆઈ એમ.એન. શેખ, જોડિયાના પીઆઈ આર.એસ. રાજપૂત, કાલાવડ ગ્રામ્યના પીઆઈ પી.જી. પનારા, કાલાવડ શહેર પીઆઈ એન.વી. આંબલીયાની ઉપસ્થિતિમાં વાહનોની હરરાજી થઈ હતી. જેમાં કુલ રૂ.૧૨ લાખ પ૬ હજાર ઉપજ્યા હતા. આ નાણા સરકારી તિજોરીમાં જમા કરાવવા તજવીજ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial