Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના કરણ કાનાણીને ગ્લોબલ સરસ્વતી સન્માનઃ ગૌરવ

લોહાણા મહાપરિષદ દ્વારા યોજાયેલ સમારોહમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૦: રઘુવંશી જ્ઞાતિની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદ દ્વારા અમદાવાદમાં આવેલા ઓડા ઓડિટોરિયમમાં તાજેતરમાં ભવ્ય રીતે ગ્લોબલ સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું.

ખંભાળીયા શહેર ભાજપ મહામંત્રી મુકેશભાઈ કાનાણી અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર સપનાબેન મુકેશભાઈ કાનાણીના પુત્ર કરણે પોતાના બીસીએ બેચલર પ્રોગ્રામમાં ટોપર થવાની સિદ્ધિ હાંસલ કરી હતી. કરણની આ સફળતા બદલ લોહાણા મહાપરિષદ દ્વારા રઘુવંશી જ્ઞાતિના અગ્રણીઓ તથા ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે સન્માનપત્ર, મોમેન્ટો, શાલ તેમજ રૂ. ૨૫૦૦૦ રોકડ પુરસ્કાર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ દ્વારા કરણ કાનાણીએ માત્ર કાનાણી પરિવારનું જ નહીં પરંતુ સમગ્ર ખંભાળીયા રઘુવંશી સમાજ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કરણભાઈને આ અભૂતપૂર્વ સફળતા બદલ કાનાણી પરિવાર તથા જ્ઞાતિજનોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh