Advertisement
Author: નોબત સમાચાર

મ્યુનિસિપલ કમિશનર ભગવા રંગમાં રંગાયાનો કોંગ્રેસનો આક્ષેપ

જંગલેશ્વર મંદિરના મુદ્દે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના મીગ કોલોની વિસ્તારમાં આવેલા મહાદેવના જુના મંદિરને શ્રાવણ માસના પ્રથમ દિવસે તોડી પડાયું હતું, જેના બદલે નવા મંદિરમાં મૂર્તિ પધરાવાઈ છે તેવા કમિશનરના નિવેદન પછી ગઈકાલે કોંગ્રેસ આગેવાનોએ આ મંદિરની મુલાકાત કરી હતી જ્યાં કોઈ શિવલીંગ નહીં હોવાનું જણાયું હતું.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મ્યુનિ. કમિશનર પણ ભગવા રંગમાં રંગાયા હોય તેમ લાગે છે, કારણ કે જંગલેશ્વર મહાદેવ મંદિરને શ્રાવણ માસના પ્રથમ દિવસે જ તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી મ્યુનિ. કમિશનરે એવું નિવેદન આપ્યું હતું કે નવા મંદિરમાં મૂર્તિઓ સ્થાપન કરી દેવામાં આવી છે. હકીકતે અમારી ગુરુવારની મંદિરની મુલાકાત દરમિયાન મંદિરમાં કોઈ મૂર્તિ-શિવલીંગ જોવા મળી ન હતી. આમ કમિશનર સત્તાધારી પક્ષના દબાવમાં આવી જુઠ્ઠુ બોલ્યા છે.

આ કાર્યક્રમમાં મહાનગર પાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદા, સંજય કાંબરિયા, મહિપાલસિંહ જાડેજા, શક્તિસિંહ જેઠવા વગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh