Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં જામ્યુકોના પાણીના ટાંકાની દીવાલ ધરાશાયી થતા દોડધામ

કાટમાળથી એક-બે લોકોને ઈજાઃ દસેક વાહનો પણ દબાયાઃ ફાયરબ્રિગેડ-૧૦૮ એમ્બ્યુલન્સ દોડીઃ રાહત-બચાવ શરૂ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગર મહાનગરપાલિકાના શંકરટેકરી પાણીના ટાંકાની દીવાલ તૂટી પડતા એક વ્યક્તિ દબાઈ ગઈ હતી. ઉપરાંત દસેક વાહન પણ દીવાલ નિચે દબાયાા હતાં. બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ વગેરે દોડી ગયા હતાં અને જરૂરી કામગીરી હાથ ધરી હતી.

શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકાના પાણીના ટાંકાની દીવાલ અચાનક તૂટી પડી હતી. આ દીવાલ પાસે જ પાર્ક કરાયેલા દસેક વાહન દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયા હતાં.

આ ઉપરાંત એક વ્યક્તિ પણ દીવાલ નીચે દબાઈ ગઈ હતી જેને કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં.

આ બનાવની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્ટાફ પણ દોડી ગયો હતો, અને જરૂરી કામગીરી કરી હતી.

આ ઉપરાંત સિટી ઈજનેર ભાવેશ જાની, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, એસ્ટેટ શાખા, પીજીવીસીએલનો સ્ટાફ પણ દોડી ગયો  છે.

તમામ વિભાગના કર્મચારી ટીમો જરૂરી કામગીરીમાં જોડાયા છે. આ ઉપરાંત સ્થાનિક લોકો પણ કાટમાળ ખસેડવામાં મદદ કરી રહ્યા છે.

આ સમયે ત્યાં અન્ય ૩ થી ૪ બાળકો રમતા હતાં, પરંતુ તેમનો બચાવ થયો છે, અને કોઈ ઈજા પહોંચી નથી. આ બનાવ અંગેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh