Advertisement
Author: નોબત સમાચાર

જોડિયાના મેઘપરમાં અકળ કારણથી ઝેરના પારખા કરનાર યુવાનનું સારવારમાં મોત

આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જોડિયાના મેઘપર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના એક શ્રમિકના ઓગણીસ વર્ષના પુત્રએ અકળ કારણથી ઝેરના પારખા કર્યા પછી આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.

જોડિયા તાલુકાના મેઘપર ગામમાં આવેલા ભરતભાઈ ટાંક નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના વતની સુનિલભાઈ કુતરીયાભાઈ ભુરીયા નામના શ્રમિકના ઓગણીસ વર્ષના પુત્ર રાજેશે રવિવારે સાંજે કોઈ અકળ કારણથી જંતુનાશક દવાની શીશીમાંથી ઝેરી દવાનો ઘુંટડો ભરી લીધો હતો.

આ બાબતની જાણ થતાં ઉલ્ટી-ઉબકા કરી રહેલા રાજેશને પિતા સુનિલભાઈ સહિતના વ્યક્તિઓએ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી આ યુવાનની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh