Advertisement
Author: નોબત સમાચાર

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂસ્ખલન થતા બે મકાન ધરાશાયીઃ સાત દટાયાઃ એક મૃતદેહ મળ્યો

એનડીઆરએફ ટીમ ઘટના સ્થળેઃ બચાવ કાર્ય શરૃઃ

                                                                                                                                                                                                      

કુલ્લુ તા. ૪: હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે સવારે લગભગ ૬ વાગ્યે ભૂસ્ખલનની દુર્ઘટના બનતા સાતથી આઠ લોકો ભોગ બન્યા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયા છે. માહિતી મળતા જ એનડીઆરએફ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

બચાવ કામગીરીમાં એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની ઓળખ કંગન શ્રીનગર, મહારાજના રહેવાસી તરીકે થઈ છે, જ્યારે ત્રણ ઘાયલોને બચાવીને પ્રાદેશિક હોસ્પિટલ કુલ્લુ મોકલવામાં આવ્યા છે. કુલ્લુ સદર ધારાસભ્ય સુંદર સિંહ ઠાકુર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. અન્ય લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

આ ભૂસ્ખલનમાં ઘર ધરાશાયી થતા ઘરમાં છ લોકો દટાયા હોવાની આશંકા છે. હજુ આ આંકડો વધી શકે છે. આ ઈમારતમાં સાથે રહેતા અબ્દુલે જણાવ્યું હતું કે, ત્રણ રૂમમાં સાત લોકો રહેતા હતાં. એક વ્યક્તિએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો. એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે પાંચ લોકો હજુ પણ દટાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. આ બધા લોકો જમ્મુ-કાશ્મીરના હોવાનું કહેવાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh