Advertisement
Author: નોબત સમાચાર

ભૂતાનમાં વડાપ્રધાન વિશ્વ શાંતિ પ્રાર્થનામાં ભાગ લેવા પહોંચ્યાઃ દ્વિપક્ષીય વાટાઘાટો થશે

આજે ભારે મનથી ભૂતાન આવ્યો છું: મોદી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિશ્વ શાંતિ પ્રાર્થનામાં ભાગ લેવા ભૂતાન પહોંચ્યા છે. તેમને ત્યાંથી ગઈકાલના વિસ્ફોટ અંગે નિવેદન આપ્યું છે. તેઓ આજે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.

વડાપ્રધાન મોદીએ ભૂતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજુ છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલે હું રાતે દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતાં. તમામ ઘટનાઓના લિંક જોડી રહ્યા હતાં. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડ્યંત્રકારીઓને છોડવામાં નહીં આવે. પીએમ મોદીએ કહ્યું કે, 'આ દુર્ઘટનામાં જે પરિવારોએ પોતાના પ્રીયજન ગુમાવ્ય છે, તે બધાના દુઃખમાં સમગ્ર દેશ સહભાગી છે. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી અને ઘાયલ વ્યક્તિઓ જલદી સાજા થાય તેવી કામના વ્યક્ત કરી. આ સાથે જ સુરક્ષા અને કાયદા અમલીકરણ એજન્સીઓને પૂરી સૂચના આપવામાં આવી છે કે તેઓ નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચે અને દોષિતો વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત કરે. આજનો દિવસ ભૂતાન માટે અને ભૂતાનના રાજ પરિવાર માટે તથા વિશ્વશાંતિમાં વિશ્વાસ ધરાવતા તમામ લોકો માટે મહત્ત્વપૂર્ણ છે. સદીઓથી ભારત અને ભૂતાન વચ્ચે ગાઢ, આત્મિય અને સાંસ્કૃતિક સંબંધ રહ્યા હતાં. એટલા માટે આ મહત્ત્વપૂર્ણ અવસરે સામેલ થવું ભારત અને મારી કમિટમેન્ટ હતી.

પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ભૂતાનના વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે.' આ મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ મળીને ૧૦ર૦ મેગાવોટની પુનાત્સાંગછૂ-ર જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત-ભૂતાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બન્ને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.

પીએમની આ મુલાકાત એવા સમયે છે, જ્યારે ભારતમાંથી લાવવામાં આવેલા ભગવાન બુદ્ધના પવિત્ર પીપરહવા અવશેષોને ભૂતાનમાં લોકોના દર્શનાર્થે રાખવામાં આવ્યા છે, ત્યારે પીએમ મોદી થિમ્કુના તાશીછોજોગ મઠમાં જઈને આ પવિત્ર અવશેષોના દર્શન કરશે અને પૂજા કરશે. આ સાથે તેઓ ભૂતાનની રોયલ સરકારે આયોજિત કરેલા વિશ્વ શાંતિ પ્રાર્થના સમારોહ (ગ્લોબલ પીસ પ્રેયર ફેસ્ટિવલ) માં પણ ભાગ લેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh