Advertisement
Author: નોબત સમાચાર

વાહન અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં વળતરમાં વધારો કરી આપવાનો આદેશ

ક્લેઈમની રકમમાં વધારા માટે કરાઈ હતી અપીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક વ્યક્તિનું સત્તર વર્ષ પહેલાં વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓને ચૂકવી આપવાની ક્લેઈમની રકમ પૂરતી ન હોવાથી હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી. હાઈકોર્ટે તે રકમમાં વધારો કરી આપ્યો છે.

જામનગરના મહેન્દ્રભાઈ રણછોડભાઈ નંદા એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં ગઈ તા.૧૨-પ-ર૦૦૮ના દિવસે ધાર્મિક સ્થળોની યાત્રા પર હતા ત્યારે મુંબઈ ધોરીમાર્ગ પર બસને થયેલા અકસ્માતમાં મહેન્દ્રભાઈનું અવસાન થયું હતું.

તેઓના વારસોએ ક્લેઈમ કર્યાે હતો. ટ્રિબ્યુનલે રૂ.૩,૬૪,૦૧૩ વ્યાજ સાથે ચૂકવી આપવા હુકમ કર્યાે હતો. આ રકમ પૂરતી નથી તેમ જણાવી વારસોએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તે અપીલ ચાલી જતાં હાઈકોર્ટે વ્યાજ સાથે રૂ.૧૧ લાખથી વધુની રકમ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. અરજદારો તરફથી વકીલ અશોક નંદા, પ્રેમલ રાચ્છ, પૂનમ પરમાર રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh