Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાચીન ગરબીમાં અર્વાચીન ગરબાઓ ઉપર તાલીમબદ્ધ બાળાઓનાં રાસ
'છોટીકાશી' જામનગરમાં શ્રી સત્યનારાયણ મંદિર પાસે યોજાતી શ્રી વેરાઈ માતા ગરબી મંડળની ગરબી સાડા ત્રણ દાયકાથી પણ વધુ પ્રાચીન છે. ઘણા વર્ષો સત્યનારાયણ મંદિર રોડ પર યોજાતી આ ગરબી છેલ્લા થોડા વર્ષથી તળાવની પાળ પર યોજાય છે. સોની ફળીના સ્થાનિક સુવર્ણકાર રહીશો દ્વારા પરંપરાગત રીતે આયોજીત થતી આ ગરબીમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીનો સમન્વય જોવા મળે છે. ગરબી પૂર્વે બાળાઓ-તરૂણીઓ અને બાળકો તથા પુરુષ ખેલૈયાઓ પણ તાલીમ મેળવે છે. અર્વાચીન અને ટ્રેન્ડીંગ ગરબાઓ પર રાસ તૈયાર કરવામાં આવે છે. આમ મૂળભૂત રીતે પ્રાચીન ગરબી હોવા છતા તેમાં આધુનિકતાનો રંગ શોભી રહૃાો છે. નવરાત્રિમાં પ્રતિદિન આદ્યશક્તિની આરતી સાથે ગરબીનો આરંભ થાય છે. જે પછી બાળાઓ અને તરૂણીઓ વિવિધ રાસ પ્રસ્તુત કરે છે જેને નિહાળવા સ્થાનિકો સહિત મેદની ઉમટી પડે છે. અંતમાં બાળકો અને પુરૂૂષો રાસ પ્રસ્તુત કરે છે. ગરબીમાં પ્રતિદિન વિવિધ દાતાઓ તરફથી બાળાઓને નાસ્તો અને લ્હાણી વિતરણ કરવામાં આવે છે. આમ શ્રી વેરાઈ માતા ગરબી મંડળની પ્રાચીન ગરબી આધુનિકતાનાં રંગ સાથે તેનાં મૂળ સ્વરૂપને જાળવી પ્રેરક સમાન આયોજન બની રહી છે. આ ઉપરાંત નવરાત્રિના અંતિમ દિને માતાજીની આરાધના કરી માતાજીના ગરબાને ગરબી મંડળના સંચાલકો દ્વારા ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial