Advertisement
Author: નોબત સમાચાર

જયપુરમાં સ્લીપર બસ ભડ...ભડ... કરીને સળગી ઊઠતા બે ના મૃત્યુઃ ૧૦ થી વધુ દાઝ્યા

હાઈટેન્શનના ૧૧ હજાર વોલ્ટના વાયરને અડી જતાં

                                                                                                                                                                                                      

જયપુર તા. ર૮: જયપુરમાં હાઈટેન્શન તારની ઝપેટમાં આવતા સ્લીપર બસમાં ભીષણ આગ લાગતા બે મુસાફરોના મૃત્યુ થયા છે, જ્યારે ૧૦ થી વધુ દાઝ્યા હોવાનું જાણવા મળે છે.

રાજસ્થાનની રાજધાની જયપુરના મનોહરપુર વિસ્તારમાં એક સ્લીપર બસમાં આગ લાગવાને કારણે અકસ્માત થયો છે. આ દુર્ઘટનાનું કારણ એ હતું કે ચાલતી બસ વીજળીના હાઈટેન્શન વાયરો સાથે ટકરાઈ અને વાયરો સાથેના ટકરાવ પછી બસમાં ભીષણ આગ ફાટી નીકળી.

આ ગંભીર અકસ્માતમાં ર મુસાફરોના દર્દનાક મોત નિપજ્યા છે, જ્યારે ૧૦ થી વધુ લોકો દાઝી ગયા હોવાની માહિતી મળી રહી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ બસમાં સવાર તમામ લોકો ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા જઈ રહ્યા હતાં. હાઈટેન્શન વાયરો સાથે ટકરાયા પછી આગની લપેટોમાં દાઝી ગયેલા આ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. મજૂરોથી ભરેલી આ બસ ઉત્તરપ્રદેશથી મનોહરપુરના ટોડી સ્થિતિ ઈંટના ભઠ્ઠા પર આવી રહી હતી. રસ્તામાં બસ ઉપરથી પસાર થઈ રહેલી ૧૧ હજાર વોલ્ટના વાયરના સંપર્કમાં આવી, જેના કારણે બસમાં કરંટ ફેલાયો અને સ્પાર્કિંગથી આગ લાગી.

દુર્ઘટનાના સ્થળ પરથી ચીસાચીસ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ મનોહરપુર પોલીસ સ્ટેશનની ટીમ અને વહીવટી અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા. તેમણે ઘાયલોને શાહપુર ઉપજિલ્લા હોસ્પિટલમાં પહોંચાડ્યા હતાં, જ્યાં પ્રાથમિક સારવાર અપાયા પછી ગંભીર રીતે દાઝી ગયેલા પાંચ મજૂરોને જયપુર રેફર કરવામાં આવ્યા છે.

આ દરમિયાન માહિતી મળતાની સાથે જ પહોંચેલા ફાયર બ્રિગેડની સહાયતાથી આગ પર કાબૂમ મેળવાયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મૂકાવીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

મનોરપુર દુર્ઘટના અંગે શાહપુરા પોલીસ સ્ટેશન અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલામાં હાલ ર લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ગંભીર હાલતમાં બે લોકોને જયપુર એસએમએસ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યા છે, જ્યારે ચાર લોકોની શાહપુરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્માત ૧૧ હજાર કેવી કરંટનો તાર તૂટવાથી થયો છે. તમામ મજૂરો યુપીના બરેલીના રહેવાસી હતાં અને મનોહરપુરમાં ભઠ્ઠીનું કામ કરતા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh