Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષના ચાર સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૧૧: જામનગરના ભીમવાસના ખૂણા પર ગઈરાત્રે મસ્તી-મજાક કરતા બે મિત્રોમાંથી એકને બીજા શખ્સે ગાળો ભાંડ્યા પછી હુમલો થયાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે સામાપક્ષે પણ ગાળો ભાંડી ધમકી આપ્યાની રાવ કરી છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીક ભીમવાસની શેરી નં.રમાં રહેતા મનિષ ધરમશી ગોહિલ અને તેના મિત્ર ભરત વ્યાસ ગઈરાત્રે ત્યાં આવેલા મંદિર પાસે બેઠા હતા ત્યારે શેરી નં.૧માં રહેતા મેહુલ વાઘેલાએ મનિષને ગાળ ભાંડી હતી. તેથી ગાળ બોલવાની ના પાડતા મેહુલે ફોન કરીને અનિલ વાઘેલા તથા જયેશ વાઘેલાને બોલાવ્યા પછી ધોકાથી હુમલો કરી મનિષને માર માર્યાે હતો. ત્યાંથી નાસીને મનિષ પોતાની બહેનના ઘરે ચાલ્યો ગયો હતો જ્યાં આ ત્રણ શખ્સોએ આવી ધમકી આપી હતી.
ઉપરોક્ત ફરિયાદ વહેલી સવારે સિટી બી ડિવિઝનમાં મનિષે નોંધાવી છે તેની સામે મેહુલ દિનેશભાઈ વાઘેલાએ વળતી ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, ગઈરાત્રે મેહુલનો મિત્ર ભરત વ્યાસ એક ગેરેજ પાસે મનિષ ગોહિલ સાથે બેઠો હતો ત્યારે તને કોનો પાવર છે તેમ મનિષે કહેતા અને મેહુલે કોઈનો પાવર નથી તેમ જવાબ આપતા મારી સામે બોલે છે તેમ કહી મનિષે મેહુલ તથા તેના પિતરાઈ અનિલ વાઘેલા સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી ધમકી આપી હતી. મેહુલની ફરિયાદ પણ પોલીસે રજીસ્ટરે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial