Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૧ ઓગસ્ટ સુધી દાવા-વાંધા રજૂ કરી શકાશેઃ
ખંભાળિયા તા. ૮: કલ્યાણપુર તાલુકાના દેવળિયા ગામમાં આવેલી શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સહકારી ખરીદ-વેંચાણ સંઘ લિ. દેવળિયાના વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, દ્વારકા, જિલ્લા રજિસ્ટ્રાર (સ.મં.) ની કચેરી, શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લા સહકારી ખરીદ વેંચાણ સંઘ લિ. દેવળિયામાં કરવામાં આવી છે. આ અંગેના દાવા-વાંધાઓ તા. ૧૧-૮-ર૦રપ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, દ્વારકામાં રજૂ કરી શકાશે, તેમજ દાવા-વાંધાઓના નિકાલની આખરી તારીખ રર-૮-ર૦રપ રહેશે. મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૩૦-૮-ર૦રપ ના કરવામાં આવશે.
આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ પછી ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિઓની ચૂંટણી બાબતના નિયમો, ૧૯૮ર ના નિયમઅ૧૬ હેઠળ ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરામાં આવશે તેમ ચૂંટણી સત્તાધિકારી અને પ્રાંત અધિકારી દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial