Advertisement
Author: નોબત સમાચાર

નગરના નાગનાથ ગેઈટ વિસ્તારમાં દુકાનમાં છતનો હિસ્સો તૂટી પડ્યો

નાસ્તાની દુકાન કાટમાળથી ઉભરાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧ઃ જામનગરના નાગનાથ ગેઈટ વિસ્તારમાં ગઈ સાંજે એક દુકાનમાં છતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. સદ્નસીબે કોઈ માનવહાનિ થવા પામી ન હતી. આ દુકાનનો બાકીનો જરૂરિયાત મુજબનો કાટમાળ આજે તંત્ર દ્વારા દૂર કરવામાં આવનાર છે.

જામનગર શહેરના નાગનાથ ગેઈટ વિસ્તારની વિનોદ નાસ્તા ભૂવન - પરોઠા હાઉસ નામની દુકાનમાં ગઈ મોડી સાંજે છતનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો. દુકાન સંચાલક હજુ દુકાન બંધ કરીને ત્યાં જ હતા ત્યાં જ આ દુર્ઘટનાના કારણે દુકાનમાં ચોતરફ કાટમાળ વેર વિખેર જોવા મળ્યો હતો. જો કે, બનાવ સમયે દુકાનમાં કોઈ હાજર નહીં હોવાથી કાંઈ માનવહાનિ થવા પામી ન હતી. આ અંગેની જાણ થતાંજ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી બનાવ સ્થળે દોડી ગઈ હતી. અને જરૂરી કામગીરી કરી હતી. આજે વધારાની જરૂરી કામગીરી હાથ ધરીને કાટમાળની ભાંગતોડ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh