Advertisement
Author: નોબત સમાચાર

પૂર્વ નગરસેવક પર ફાયરીંગના કેસમાં બે આરોપીનો અદાલતે ફરમાવ્યો છૂટકારો

સાત વર્ષ પહેલાં ફાયરીંગ થયાની થઈ'તી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના રણજીતસાગર રોડ પર સાત વર્ષ પહેલા રાત્રિના સમયે પૂર્વ નગરસેવક પર મોટરમાંથી ફાયરીંગ કરાયું હતું. તેની પોલીસમાં કરવામાં આવેલી ફરિયાદ પછી બે આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આ કેસ ચાલી જતા બંને આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના વોર્ડ નં.૧૬ના પૂર્વ નગરસેવક અતુલ ભંડેરી ગઈ તા.૧૯-૬-૧૮ની રાત્રે પાનની એક દુકાન પાસે હતા ત્યારે એક દોડી આવેલી મોટરમાંથી તેમના પર ફાયરીંગ કરાયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદીએ ભાજપના અગ્રણી હસમુખ પેઢડીયા તેમજ યોગેશ અકબરી દ્વારા ફાયરીંગ કરાવાયાનો આક્ષેપ કરાયો હતો.

ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે જે તે વખતે આઈપીસી ૩૦૭, આર્મ્સ એક્ટની કલમ રપ (૧) (એ) હેઠળ ગુન્હો નોંધી તપાસ કર્યા પછી આરોપીઓની ધરપકડ કરી હતી અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપી પક્ષ તરફથી રજૂ થયેલી દલીલોને ગ્રાહ્ય રાખી હસમુખ પેઢડીયા તથા યોગેશ અકબરીનો છૂટકારો ફરમાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh