Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ટાઉનહોલમાં સ્વચ્છોત્સવઃ પાબારી હોલ સુધી સ્વચ્છતા રેલી અને શ્રમદાનઃ મહાનુભાવો ઉપસ્થિત

વોર્ડ નં. પ માં પણ સફાઈઃ નેતાઓ સાથે સ્થાનિકો જોડાયા

                                                                                                                                                                                                      

ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના મહાત્મા ગાંધી જન્મજ્યંતીના શ્રદ્ધાંજલિ આપવા સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે તથા તા. ૧૭-૯-ર૦રપ થી તા. ર-૧૦-ર૦રપ સુધી "સ્વચ્છતા હી સેવા-ર૦રપ" સ્વચ્છતા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગરૂપે "સ્વચ્છતા હી સેવા-ર૦રપ" ને "સ્વચ્છોત્સવ" તરીકે ઉજવવામાં આવે છે, જેના ભાગરૂપે ગઈકાલે ટાઉનહોલમાં અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. જેમાં ટાઉનહોલથી પાબારી હોલ સુધી સ્વચ્છતા રેલી, પાબારી હોલ પાસે એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ચેરમેન નિલેશભાઈ કગથરા, કમિશ્નર ડી.એન. મોદી, કમિશ્નર ડી.એ. ઝાલા તથા સિટી ઈજનેર ભાવેશ જાની, આસિ.કમિશ્નર મુકેશભાઈ વરણવા, નાયબ ઈજનેર કેતનભાઈ કટેશીયા તથા બહોળી સંખ્યામાં કર્મચારીઓ, સ્થાનિક લોકો તેમજ એન.જી.ઓ., વેપારી એસોસિએશન વિગેરે કાર્યક્રમમાં જોડાયા હતાં. તદ્ઉપરાંત વોર્ડ નં. પ માં સંસદસભ્ય પૂનમબેન માડમ, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોષી, સભ્ય કિશનભાઈ માડમ, તેમજ સ્થાનિક લોકો આ શ્રમદાનમાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh