Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ ર૦ર૩ માં રૂ. ર૦૦૦ ની ચલણી નોટ પરત ખેંચાઈ હતીઃ
મુંબઈ તા. રઃ રૂપિયા ૬,૦૧૭ કરોડના મૂલ્યની રૂ. ર૦૦૦ ની નોટ હજુ પણ ચલણમાં હોવાનું આરબીઆઈએ જણાવ્યું છે. મધ્યસ્થ બેંકે ર૦ર૩ માં બે હજારની નોટ ચલણમાંથી પરત ખેંચવા જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી પૂરેપૂરી ચલણી નોટો પાછી આવી નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. ર૦૦૦ ની નોટ ચલણમાંથી પરત ખેંચવાની જાહેરાત કર્યાના બે વર્ષ વિત્યા હોવા છતાં પણ બજારમાં રૂ. ૬,૦૧૭ કરોડના મૂલ્યની નોટો ચલણમાં ફરે છે. આરબીઆઈએ શુક્રવારે સત્તાવાર ડેટા જાહેર કરતા જણાવ્યું કે, ૧૯ મે ર૦ર૩ ના કામકાજના અંતે ચલણમાં ફરી રહેલી રૂ. ર૦૦૦ ના દરની નોટનું કુલ મૂલ્ય રૂ. ૩.પ૬ લાખ કરોડ હતું, જે ૩૧ જુલાઈ ર૦રપ ના કામકાજના અંતે ઘટીને રૂ. ૬,૦૧૭ કરોડ થયું છે. આનો અર્થ એ થયો કે આરબીઆઈની જાહેરાત પછી રૂ. ર૦૦૦ ના દરની ૯૮.૩૧ ટકા નોટ પરત કરાઈ હતી.
રિઝર્વ બેંક દેશમાં આવેલી ૧૯ ઈશ્યુ ઓફિસોમાં છેલ્લા બે વર્ષથી રૂ. ર૦૦૦ ના દરની ચલણી નોટો બદલવાની સેવા પૂરી પાડે છે. ૧૯ મે ર૦ર૩ ના આરબીઆઈએ રૂ. ર૦૦૦ ની નોટ પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈ તેની ઈશ્યુ ઓફિસ પર વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી રૂ. ર૦૦૦ ના દરની ચલણી નોટ સ્વીકારીને તેમના ખાતામાં તેટલી રકમ જમા કરી આપે છે.
આ ઉપરાંત દેશના કોઈપણ સ્થળેથી ઈન્ડિયા પોસ્ટ દ્વારા ટપાલ મારફતે પણ આરબીઆઈ ઈશ્યુ ઓફિસને રૂ. ર૦૦૦ ના દરની નોટ ખાતામાં જમા કરાવવા મોકલી શકાય છે. આરબીઆઈની અમદાવાદ, બેંગલુરૂ, બેલાપુર, ભોપાલ, ભૂવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટણા અને તિરૂવનંતપુરમ્માં કચેરીમાં રૂ. ર૦૦૦ ના દરની નોટ પરત કરી શકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial