Advertisement
Author: નોબત સમાચાર

નદીની સફાઈ કરવા ખાનગી કંપનીઓ /એનજીઓની મદદ માટે આજીજી.!

રાજ્ય સરકાર અને નગરપાલિકા લાચાર !

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૨: ખંભાળીયામાં ઘી ડેમ છલકાતા વિશાળ જળરાશિ દરરોજ ઘી નદીમાં ઠલવાતા રામનાથ, ખામનાથ પાસે ચેકડેમોના પાટીયા ખુલ્યા હોય, તથા ઘી નદીમાં ગંદકી અને ગાંડી વેલનું સામ્રાજ્ય હોય, રોજનું લાખો લીટર પાણી દરિયામાં વેડફાઈ જાય છે. આ બાબતે પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમુરનો સંપર્ક કરતા તેમણે કોઈ ખાનગી કંપની કે એન.જી.ઓ. મશીનની તથા અન્ય મદદ કરે તો માણસોની વ્યવસ્થા કરાવીને નદી સાફ કરવાની તૈયારી બતાવી છે.

ઘી નદીમાં ગાંડી વેલ હોય તથા ગંદકી હોય, જેસીબી હિટાચી તથા અન્ય સાધનોથી આ વેલ કાઢીને તથા માણસોથી વેલ ટ્રેક્ટરોમાં તરાવીને નદીમાંથી કાઢવામાં આવે તો નદી સાફ થઈ જાય તથા હાલ ઉપરવાસ પાણીની ભરપૂર આવક પણ હોય તથા હજુ વરસાદ પણ આવનાર હોય, ઘી નદી ભરપૂર થઈ જાય તેમ હોય, ખંભાળીયા તથા દ્વારકા જિલ્લામાં આસપાસની કંપનીઓ સી.એસ.આર. માંથી આ કામ માટે રસ લે તેવી લોકમાંગણી છે. હાલમાં  ઘડી કંપની, નયારા કંપની, વિન્ડફાર્મ કરોડો રૂ.પિયા સી.એલ.આર. વર્કમાં ફાળવણી હોય આ કામ તેમના માટે કરવું આસાન બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh