Advertisement
Author: નોબત સમાચાર

ખજૂરાહોમાં ખંડિત પ્રતિમાના પુનઃનિર્માણની અરજદારની માગણી સુપ્રિમ કોર્ટેે ફગાવી દીધી

પબ્લિસિટી સ્ટંટ ગણાવી અરજી પર વિચાર કરવાનો ઈનકારઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૭: મધ્યપ્રદેશના ખજૂરાહોમાં ભગવાન વિષ્ણુની માથું કપાયેલી ખંડિત પ્રતિમાના પુનઃનિર્માણની માંગ કરતી અરજીને સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી હાલ ચર્ચામાં છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું કે, 'જાઓ અને તમારા ભગવાનને કહો કે આ વિશે જાતે જ કંઈક કરે'.

મધ્યપ્રદેશમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ ખજુરાહો મંદિર સંકુલના જવારી મંદિરમાં સ્થિત ભગવાન વિષ્ણુની સાત ફૂટ ઊંચી પ્રતિમાનું માથું તૂટી ગયું છે. રાકેશ દલાલ નામના વ્યક્તિએ ખંડિત પ્રતિમાને બદલવા અને પવિત્ર કરવાની માગ કરી હતી. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની આગેવાની હેઠળની ખંડપીઠે રાકેશ દલાલની અરજી પર વિચાર કરવાનો ઈનકાર કર્યો હતો.

આ મામલે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ કહ્યું કે, 'આ સંપૂર્ણ રીતે પ્રચાર માટે કરવામાં આવેલી અરજી છે. જાઓ અને ખુદ ભગવાનને જ કંઈક કરવા માટે કહો. જો તમે કહી રહ્યા છો કે, ભગવાન વિષ્ણુના પ્રબળ ભક્ત છો, તો તમે પ્રાર્થના કરો અને થોડું ધ્યાન કરો.'

ખંડપીઠે આ મામલે કહ્યું કે, 'આ કેસ સંપર્ણ રીતે ભારતીય પુરાતત્ત્વ સર્વેષણના અધિકાર ક્ષેત્રમાં આવે છે. આ એક પુરાતત્ત્વીય સ્થળ છે. શું એએસઆઈ આને મંજુરી આપશે કે નહીં. તેમાં ઘણા બધા મુદ્દાઓ સામેલ છે. જો તમે શૈવ ધર્મના વિરોધી નથી, તો તમે ત્યાં જઈને પૂજા કરી શકો છો. ત્યાં એક વિશાળ શિવલિંગ છે, જે ખજુરાહોમાં સૌથી મોટું છે.'

રાકેશ દલાલની અરજીમાં મૂર્તિને બદલવા અથવા પુનઃનિર્માણ માટે દિશાનિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ સંદર્ભમાં કેન્દ્રિય ગૃહમંત્રાલય અને એએસઆઈને ઘણી રજૂઆતો કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુઘલ આક્રમણ દરમિયાન પ્રતિમાને નુક્સાન થયું હતું અને સરકારને વારંવાર તેને પુનઃસ્થાપિત કરવા વિનંતી કરવા છતાં તે એ જ સ્થિતિમાં છે.

આ અરજીમાં ખજુરાહો મંદિરોના ઈતિહાસનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મૂળ ચંદ્રવંશી રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતાં. અરજદારનો આરોપ છે કે વસાહતી ઉપેક્ષા અને સ્વતંત્રતા પછીની નિષ્ક્રિયતાને કારણે આઝાદીના ૭૭ વર્ષ પછી પણ પ્રતિમાનું સમારકામ થયું નથી. પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાનો ઈનકાર ભક્તોના પૂજા કરવાના મૂળભૂત અધિકારના ઉલ્લંઘનનો દાવો કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh