Advertisement
Author: નોબત સમાચાર

પીએમ હોય કે સી.એમ., જામીન નહીં મળે તો ખુરશી છોડવી જ પડશેઃ મોદી

બિહારમાં વડાપ્રધાન મોદીનું આક્રમક સંબોધન

                                                                                                                                                                                                      

પટણા તા. ૨૨: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં જનસભાને સંબોધતા વિપક્ષો પર આકરા પ્રહારો કર્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બિહારની મુલાકાતે છે. જ્યાં ગયામાં તેમણે ૧૨,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યુ હતું. ત્યારબાદ તેમણે એક જનસભાને સંબોધિત કરતાં લોકસભામાં રજૂ કરવામાં આવેલા નેતા-મંત્રીઓની ધરપકડના બિલ વિશે આક્રમક અંદાજમાં નિવેદન આપ્યું હતું. મોદીએ કહૃાું કે, બંધારણ દરેક જનપ્રતિનિધિ પાસે પ્રમાણિકતા અને પારદર્શિતાની અપેક્ષા રાખે છે. અમે બંધારણની મર્યાદાનો લાભ લેતાં જોઈ શકીશુ નહીં. આથી એનડીએ સરકાર ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક એવો કાયદો લઈ આવી છે કે,જેમાં દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને મંત્રીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. પીએમ હોય કે સીએમ કે પછી મંત્રી, ધરપકડના ૩૦ દિવસની અંદર જામીન ન મળ્યા તો ૩૧માં દિવસે તેમણે ખુરશી છોડવી પડશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh