Advertisement
Author: નોબત સમાચાર

ડીકેવી કોલેજમાં યોજાયું વ્યાખ્યાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરની ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં સાહિત્ય અકાદમી, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 'મારી બારીએથી' શિર્ષક હેઠળ લાભશંકર પુરોહિતના વ્યક્તિત્વ અને કૃતિત્વ અંગે નિતીનભાઈ વડગામાનું ખાસ વ્યાખ્યાન યોજાયું હતું. કોલેજના આચાર્ય ડો. પી.વી.બાણુગારીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગુજરાતી વિભાગના વડા ડો. હીરજી સીંચે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે વિશેષ વકતા નિતીન વડગામાએ લાભશંકર પુરોહિતના વ્યક્તિત્વ તથા તેના સાહિત્ય સર્જન અંંગે વ્યાખ્યાન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં સતિષચંદ્ર વ્યાસ, મનોજ જોશી *મન*, ભરતભાઈ કાનાબાર વગેરે હાજર રહ્યા હતા. આયોજન ગુજરાતી વિભાગના વડા તથા આચાર્યના માર્ગદર્શન હેઠળ કરાયું હતું. આધ્યાપક ડો. વિનોદભાઈએ આભાર દર્શન કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh