Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાની શારદાપીઠમાં કેવડા ત્રીજે
કેવડા ત્રીજની પાવન તિથિએ દ્વારકા શારદાપીઠાધીશ્વર એવમ્ જ્યોતિપ્પીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય બ્રહ્મલીન સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજની ૧૦૧ માં જન્મોત્સવની શારદામઠમાં પરંપરાગત ભવ્યતા સાથે સ્જવણી કરવામાં આવી હતી. ગઈકાલે પ્રાતઃ કાલથી ધાર્મિક અનુષ્ઠાનો પછી સવારે ૧૦ કલાકે શારદાપીઠ ગુરુગાદિ સમક્ષ ભગવાન શ્રી ચંદ્રમૌલિશ્વરને રૂદ્ધાભિષેક, ભગવાન શ્રી દ્વારકાધીશજીના મુખ્ય મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ, પૂજ્ય શંકરાચાર્ય મહારાજની પાદૂકાનું પૂજન, સંતોના આશીર્વાદ સહ ભવ્ય ભંડારા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજ દ્વારા બ્રહ્મલીન શંકરાચાર્યજીની આરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial