Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકી પાંચ ડેમ ઓવરફ્લોઃ છ ડેમ છલકાવાની તૈયારી

શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં નોંધ૫ાત્ર વરસાદથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર શહેર અને જિલ્લામાં થોડા થોડા વિરામ બાદ મેઘરાજા અવરિત હેત વરસાવી રહ્યા છે, અને શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. જેના અનુસંધાને જામનગર જિલ્લાના ૨૫ જળાશયો પૈકીના પાંચ ડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે. આ ઉપરાંત છ ડેમ કે જે પુરા ભરાયેલા છે, અથવા તો છલકવાની તૈયારીમાં છે. જ્યારે ડેમનું લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આવા છ જળાશયો પૈકીના ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, તે ઉપરાંત કોટડા બાવીસી ડેમનો પણ એક દરવાજો ખોલીને તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. બાકીના ૧૪ જળાશયોમાં ૩૫ થી ૪૮ ટકા પાણીનો જથ્થો સંગ્રહ થયેલો છે, અને ધીમે ધીમે પાણીની આવક ચાલુ રહી છે. જામનગર શહેરને પાણી પુરૃં પાડતા સસોઈ અને રણજીતસાગર ડેમ છલકાઈ ગયા છે. ઉપરાંત ઊંડ-૧ અને આજી-૨ ડેમમાં પાણીની આવક અવરિત ચાલુ રહેતી હોવાથી જામનગર શહેર માટે પીવાના પાણીનો કોઈ પ્રશ્ન રહ્યો નથી, અને એકાંતરા પાણી વિતરણ ચાલુ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh