Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિણીતાએ પોલીસનું શરણું લીધુઃ
જામનગર તા. ૧: જામજોધપુરના શેઠવડાળામાં રહેતા સાસરિયા સામે ખંભાળિયા મહિલા પોલીસ મથકમાં એક પરિણીતાએ ત્રાસ આપી માર માર્યાની અને પતાવી દેવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા એક યુવતીના લગ્ન દસેક મહિના પહેલાં જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં કરવામાં આવ્યા પછી આ પરિણીતાને ઘરકામ બાબતે અવારનવાર ગાળો ભાંડી ત્રાસ આપવા ઉપરાંત ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી અપાઈ હતી.
આ પરિણીતાએ ખંભાળિયા સ્થિત મહિલા પોલીસ મથકમાં મયુર પંકજભાઈ મહેતા, પંકજ રેવાશંકર મહેતા, રીટાબેન પંકજભાઈ મહેતા, હર્ષદભાઈ પંકજભાઈ મહેતા સામે રાવ કરી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial