Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેરના વિવિધ સ્થળે સફાઈ કરવા માંગણીઃ
ખંભાળીયા તા. ૧૯: આગામી સમયમાં આવનાર નવરાત્રિના સમયમાં ખંભાળીયા તાલુકાના સલાયા માં સફાઈ તથા સ્ટ્રીટ લાઈટો અંગે ભાજપ શહેર પ્રમુખ તથા લોહાણા નવરાત્રિ ઉત્સવ સમિતિના પ્રમુખ લાલજીભાઈ ભુવા દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે.
સલાયામાં નવરાત્રિ દરમ્યાન મેઈન બજાર, રામજી મંદિર, બાલવી મંદિર, પોલીસ સ્ટેશન, હવેલી શેરી, મહાજન વાડી જેવા વિસ્તારોમાં રોજ સાફ-સફાઈ કરવામાં આવે તથા જરૂરી દવાઓનો છંટકાવ થાય, રોજ ભૂગર્ભ ગટર તથા ગટરોની સફાઈ કરવા સાથે નિયમિત રીતે સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવા અને લાઈટો બંધ હોય તો તેને તાકીદે ચાલુ કરવા પણ માંગ કરાઈ છે. જેથી નવરાત્રિ દરમ્યાન રાત્રે નીકળતા લોકોને પરેશાની ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial