Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના સંબંધીનું નોંધાયું નિવેદનઃ
જામનગર તા. ૧૧: જામજોધપુરના દલદેવરીયા ગામમાં વસવાટ કરતા એક વૃદ્ધે પત્નીના બીમારીના કારણે અવસાન પછી એકલવાયા જીવનથી કંટાળી જઈ ગઈકાલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.
જામજોધપુર તાલુકાના દલદેવરીયા ગામમાં હરીજનવાસમાં રહેતા પાલાભાઈ ભોજાભાઇ વાલવા ઉર્ફે બલાભાઇ નામના ૬૨ વર્ષના વૃદ્ધે રવિવારે સાંજે પોતાના ઘરે પ્લાસ્ટિકની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં આ વૃદ્ધને નીચે ઉતારી ચકાસવામાં આવતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા દોડી આવેલી શેઠવડાળા પોલીસે પંકજભાઈ સોમાભાઈ વાલવાનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પાલાભાઈના પત્ની શાંતાબેનનું કેન્સરની બીમારીના કારણે દોઢેક મહિના પહેલાં મૃત્યુ થયું હતું. પત્નીના અવસાન પછી એકલવાયું જીવન જીવતા પાલાભાઈ બેચેન રહેતા હતા અને તેનાથી કંટાળી જઈ તેઓએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે નિવેદન પરથી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial