Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરોમાં ઘી ની મહાપૂજાના દર્શન યોજાયાઃ
ખંભાળિયા તા. ૩૦: ખંભાળિયામાં અત્યતં પ્રાચીન તથા ઐતિહાસિક શિવ મંદિરો આવેલા હોય, શ્રાવણ માસમાં અહીં ભાવિકો માટે ખાસ ઘી ની મહાપૂજા તથા વિશેષ દર્શન યોજાતા હોય, ગઈકાલે શ્રાવણના પ્રથમ સોમવારે ભાવિકો ઉમટી પડ્યા હતાં.
ઘી મહાપૂજા માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ શ્રી ખામનાથ મહાદેવ, રામનાથ મહાદેવ, શરણેશ્વર મહાદેવ તથા પાળેશ્વર મહાદેવ મંદિરે વિશેષ ઘી ની ગણપતિની પૂજા પ્રથમ પૂજા ગણેશજીની થાય છે તેના ભવ્ય દર્શન સાથે શ્રૃંગાર યોજાયો હતો. જેના દર્શન કરવા તથા પાળેશ્વર, ખામનાથ, રામનાથ મંદિરે સંયા આરતીમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. ખંભાળિયા શહેર તથા તાલુકાના અન્ય મંદિરો વિદ્યાશંકર મહાદેવ, સુખનાથ મહાદેવ, જડેશ્વર મહાદેવ, વડત્રા કીંભગેશ્વર મહાદેવ, સલાયા પાસે નાગનાથ મહાદેવ, કોટામાં કોટેશ્વર મહાદેવ, વજાણા કાશી વિશ્વનાથ મહાદેવ, ભરાણા ધીંગેશ્વર મહાદેવ, દાત્રાણા દંતેશ્વર મહાદેવ, શિરેશ્વર મહાદેવ, ભાતેલ તોળેશ્વર મહાદેવ વિગેરે પ્રાચીન શિવ મંદિરોમાં પણ શ્રાવણ માસના પ્રથમ સોમવારે વિશેષ દર્શન-પૂજા યોજાઈ હતી તથા સવારથી ભાવિકો જળ તથા દૂધના લોટા લઈને પૂજા કરવા પણ ઉમટી પડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial