Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ હૃદય દિવસ

આજે તા. ર૯ સપ્ટેમ્બર

                                                                                                                                                                                                      

હૃદય આપતા શરીરનું મહત્ત્વપૂર્ણ અવયવ છે. હૃદયમાં ઓજ (હૃદયમાં રહેતું એક વિશેષ દ્રવ્ય) નું સ્થાન છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં અને વધારે વજન-ચરબીવાળાએ પચાવવામાં ભારે (પ્રોટીન) કે ચરબીવાળો ખોરાક ન લેવો, શરીરને અનુકૂળ હોય તેવો ખોરાક દરેક વ્યક્તિએ યોગ્ય માત્રામાં (સમતોલ આહાર) લેવો જોઈએ. ઈંડા વગેરે તથા મીઠુંનો ત્યાગ કરવો જોઈએ. હૃદયરોગ થવામાં ધુમ્રપાન એક મહત્ત્વનું કારણ છે, તેથી ધુમ્રપાન, ચા, કોફી, દારૂ વગેરે સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ, કબજિયાત ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું તથા વાયુ-ગેસ કરે તેવો ખોરાક ન ખાવો જોઈએ. એવું કહેવાય છે કે, બપોરના ખાણા પછી લેવાતી ટૂંકી નિદ્રા (વામકુક્ષી) હૃદયરોગને દૂર રાખે છે એટલે કે હૃદયરોગની શક્યતાને ઘટાડે છે?, શરીરનું વજન વધારે હોય તો ઓછું કરવું, વધુ પડતી ચિંતા, ક્રોધ, શોક, ભય, ઈર્ષા અને દ્વેશથી દૂર રહેવું. નિયમિત વ્યાયામ (ચાલવાની કસરત) કરવી જોઈએ. જે લોકો નિયમિત કસરત કરે છે તેનામાં હૃદયરોગનું પ્રમાણ બહું જ અલ્પ જોવા મળે છે. ખાસ કરીને વેપાર-ધંધામાં વધુ સાહસ ન કરવું, ગમે તે સંજોગોમાં કે પરિસ્થિતિમાં પ્રફૂલ્લિત-પ્રસન્નચિત રહેવું, ક્યારેય હિંમત ન હારવી, હિંમત હારવાથી હૃદયરોગ થાય છે.

આયુર્વેદના માધવ નિદાન નામના ગ્રંથમાં જણાવ્યા અનુસાર તથા આયુર્વેદના મહર્ષિ ચરકના મત પ્રમાણે હૃદયરોગના કારણરૂપ ચિંતા, ભય, ત્રાસ વિગેરે છે. માટે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. કુદરતી હાજતો મળ-મૂત્ર ક્યારેય ન રોકવા. અધિરાઈ, ઉતાવળો સ્વભાવ, વિના કારણે ગુસ્સો કરવો નહીં. આ બધાથી દૂર રહેવું. આયુર્વેદ શાસ્ત્રના મતાનુસાર હિંગ, મધ, કારેલા, પરવળ, લીંબુ, આદુ, નાળિયેલ કે ત્રોફાનું પાણી અને 'અર્જુન' નામના ઔષધનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે.

વૈદ્ય ડી.પી. મહેતા-વરવાળા

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh