Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિવ મંદિરોમાં ભોળાનાથના વિવિધ સ્વરૂપની ઝાંખીથી ભક્તો થયા ધન્યઃ
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવાલયોમાં શિવ આરાધના માટે ભક્તો ઉમટી પડ્યા હતાં. વિવિધ શિવ મંદિરોમાં સોમવારને અનુલક્ષીને મહાઆરતી, દિપમાળા, થાળ તથા વિવિધ ઝાંખીઓ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતાં. જેમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા શ્રી ઈચ્છેશ્વર મહાદેવ મંદિરે અમરનાથની ઝાંખીના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થયા હતાં. એ જ રીતે શરૂસેક્શન પાસે શ્રી ગાયત્રી શક્તિપીઠમાં આવેલ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પણ બરફના શિવલિંગ વડે બાબા બર્ફાનીના દર્શન ભક્તોને પ્રાપ્ત થયા હતાં. રામેશ્વરનગરમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિરે ગર્ભગૃહમાં અક્ષત અર્થાત્ ચોખા સહિતના ધાન્યની રંગોળી કરવામાં આવી હતી અને શિવલિંગ પર શિવજીની ચાંદીની મૂખાકૃતિ વડે નિરાકાર શિવશંકરના સાકારરૂપની ઉપાસના કરવામાં આવી હતી. હવાઈચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે શિવલિંગને રજતપત્રના આવરણ સાથે જ ચંદન અને કૃમકુમની રંગોળી તથા પવિત્રા અર્પણ કરવામાં આવ્યા હતાં, અને થાળ ધરવામાં આવ્યા હતા. નાગરોના ઈષ્ટદેવ એવા મહાદેવની શ્રી હાટકેશ્વર સ્વરૂપના દિવ્ય દર્શન કરી ભક્તો ધન્ય થયા હતાં. શિવ-પાર્વતી વિવાહમાં ભોળાનાથી જાનમાં ભૂત-પ્રેત જાનૈયા હતાં. એ પૌરાણિક કથા ખૂબ પ્રસિદ્ધ છે. તંત્ર માર્ગમાં શિવ અને શક્તિ જ પરમ તત્ત્વ છે, પરમ ઊર્જા છે. એટલે જ ભગવાનને ભૂતનાથ પણ કહ્યા છે. શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરે ગર્ભગૃહમાં કાળા રંગની આભા સાથે ખોપડીઓ સાથેના ભગવાન શિવના ચિત્રને દર્શાવતા પડદાના સુશોભન વડે ખરા અર્થમાં ભૂતનાથની આરાધના કરવામાં આવી હતી. આ ઉપરાંત પણ નગરના વિવિધ શિવાલયોમાં સોમવારે વિશેષ આયોજનો કરવામા આવ્યા હતાં. નગરની ધર્મપ્રેમી જનતાએ વિવિધ ઝાંખીઓના દર્શન કરી ભક્તિલાભ પ્રાપ્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial