Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગતઃ
જામનગર તા. ૨૦: જામનગરના ૧૯ આસામીના ગુમ થઈ ગયેલા મોબાઈલ પોલીસે શોધી કાઢયા પછી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદા જુદા સમયે ૧૯ આસામીએ પોતાના મોબાઈલ અલગ અલગ વિસ્તારમાં ખોવાઈ ગયાની જાણકારી આપી હતી. તેના પગલે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી સ્ટાફ દ્વારા સીઈઆઈઆર પોર્ટલની મદદથી તે મોબાઈલ શોધી કાઢવા પ્રયત્નો આરંભાયા હતા.
તે પછી ઓપો, સેમસંગ, વીવો, વન પ્લસ, રેડમી કંપનીના આ ૧૯ મોબાઈલને પોલીસે શોધી કાઢયા હતા. અંદાજે રૂ.ર લાખ ૭ હજારની કિંમતના ઉપરોક્ત તમામ મોબાઈલ ગઈકાલે પીઆઈ એન.એ. ચાવડાની રાહબરી હેઠળ યોજવામાં આવેલા તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત તેના માલિકોને પરત સોંપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial