Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાથી રાણાવાવ જતા યુવાનને નડ્યો અકસ્માતઃ
જામનગર તા.૨૮ : ખંભાળિયાથી પોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર એક સપ્તાહ પૂર્વે બાઈક સ્લીપ થયુંં હતું. તેમાં ઈજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. આ રોડ પર ્ઢોળાયેલી કાંકરીએ યુવાનની જિંદગી છીનવી લીધી છે.
ખંભાળિયા શહેરના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા મૂળ ૫ોરબંદર જિલ્લા ના રાણાવાવ તાલુકાના વતની પુનીતભાઈ જયેશભાઈ અગ્રાવત (ઉ.વ.રર) નામના યુવાન ગઈ તા.૧૯ની સાંજે ખંભાળિયાથી રાણાવાવ જવા માટે બાઈક પર નીકળ્યા હતા.
તેઓ જ્યારે ભાણખોખરી ગામ પાસે પહોંચ્યા ત્યારે રોડ પર અગાઉથી ઢોળાયેલી કાંકરીના કારણે તેઓનું બાઈક સ્લીપ થયું હતુંં. રોડ પર જોશ ભેર પછડાયેલા પુનીતભાઈને પેટ તથા પગમાં ગંભીર ઈજા થઈ હતી.
સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા પુનીતભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તેમના પિતા જયેશભાઈ રામકૃષ્ણ અગ્રાવતે પોલીસને જાણ કરી છે. આ રોડ પર ભરડીયામાંથી કાંકરી ભરીને જતા કોઈ વાહનમાંથી કાંકરી ઢોળાઈ હતી અને તેના કારણે પુનીતભાઈને અકસ્માત નડ્યો હતો અને તે યુવાને જિંદગી ગૂમાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial