Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન ૧ ડીગ્રી વધીને મહત્તમ ૩ર.પ ડીગ્રી

મેઘાવી માહોલ છતાં વરસાદ નહીં:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું. મેઘાવી માહોલના પગલે વાતાવરમાં ઠંડક યથાવત્ રહી હતી.

જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરા યથાવત્ રહ્યા છે. મેઘાવી માોલ વચ્ચે વરસાદ ન થતા પ્રજાજનો નિરાશ થયા છે. મેેઘાડંબર વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીક કલાક દરમિયાન ૧ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૭ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭ ટકા વધીને ૮૭ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરા અને મેઘાવી માહોલના પગલે વાતાવરમાં ઠંડક યથાવત્ રહી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh