Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બફારોઃ મહત્તમ ૩૩ ડીગ્રીએ સ્થિર

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકાએ પહોંચતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભેજનું પ્રમાણ આંશિક વધીને ૮૭ ટકાએ પહોંચી જતાં ખાસ કરીને બપોરે બફારો અનુભવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો.

જામનગરમાં સોમવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન આંશિક વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૭ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા, ખાસ કરીને બપોરના સમયે વધારે બફારો અનુભવાયો હતો.

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ૩૩ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાન પચ્ચીસ ડીગ્રી નોંધાયું હતું. સૂર્યદેવતાના કારણે ગરમી પણ યથાવત્ રહી હતી. ગરમી અને બફારાના બેવડા મારથી પ્રજાજનો આકૂળ-વ્યાકૂળ થઈ ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા હતાં. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh