Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરથી રાજકોટ જઈને સ્થાનિક નેતાઓ જોડાયાઃ
જામનગર તા. ૯: ગુજરાત કોંગ્રેસ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ સંબંધિત અનેક પ્રશ્નો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં ધરણા કરવામાં આવ્યા હતાં, જેમાં જામનગરથી પણ અનેક આગેવાનો જોડાયા હતાં.
આજે પણ અનેક શાળાઓ એક જ ઓરડામાં ચાલે છે, ૩૦ વર્ષથી સંગીત, શિક્ષક, લાયબ્રેરિયન, રમત શિક્ષકની નિમણૂક કરવામાં આવી નથી. રાજકોટ જિલ્લામાં બે ડી.ઈ.ઓ.ની માગણી વર્ષોથી પેન્ડીંગ છે, બાલમંદિરમાં રજિસ્ટ્રેશનની પળોજણ ઊભી કરી લોકોને બેરોજગાર બનાવવા, શિક્ષણ સિવાયની કામગીરી શિક્ષકો પાસે કરાવાય છે. શાળા-વિદ્યાર્થીનો ઉપયોગ ભાજપના કાર્યક્રમમાં ભીડ એકત્ર કરવામાં થાય છે.
ખાનગી યુનિવર્સિટી ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. ખાનગી યુનિ.માં કોણ ભણાવે છે, કેટલા વિદ્યાર્થી ભણે છે, કેટલા વિદ્યાર્થી માત્ર ફી આપી ડીગ્રી ખરીદે છે, તેની કોઈ તપાસ નહીં, સૌ.યુનિ.માં દર વર્ષે વિદ્યાર્થીની સંખ્યા ઘટી રહી છે.
રાજ્ય બહારની યુનિવર્સિટી આર.એસ.એસ.ની ભગીની સંસ્થા માટે પ્રયોગશાળા બની છે. શિક્ષણ સેમિનારના બદલે સંઘની કાર્યશિબિર થાય છે. આવા અનેક મુદ્દાઓ રજૂ કરી કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતાં.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈન્દ્રવિજયસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આયોજીત આ કાર્યક્રમમાં જામનગરથી યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ, યુવક કોંગ્રેસ ગુજરાતના મહામંત્રી શક્તિસિંહ જેઠવા, એન.એસ.યુ.આઈ. ગુજરાતના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા, ઉપરાંત જાવેદભાઈ ખફી, દર્શનભાઈ રાઠોડ, દેવરાજ બાબરિયા વિગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial