Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવતઃ
જામનગર તા. ૫: જામનગરના એક આસામી સામે રૂ.પ લાખના ચાર ચેક પરત ફરવા અંગે જાંબુડાના એક આસામીએ અદાલતમાં બે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બે વર્ષની સજા ફરમાવી હતી. તે હુકમ સામેની અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રહ્યો છે.
જામનગરના રણજીત નગર નજીક કૃષ્ણનગરમાં રહેતા પ્રશાંત રમેશચંદ્ર દુધરેજીયા નામના આસામીએ જામનગર તાલુકાના જાંબુડા ગામના રાજેશ હેમરાજભાઈ સુમડ પાસેથી રૂ.૫ લાખ હાથઉછીના લઈ તેની પરત ચૂકવણી માટે ચાર ચેક આપ્યા હતા.
તે તમામ ચેક પાકતી મુદ્દતે બેંકમાં રજૂ થતાં સહી ફેરફારના કારણસર પરત ફર્યા હતા. રાજેશ સુમડે જામનગરની કોર્ટમાં પ્રશાંત દુધરેજીયા સામે ચેક પરતની બે જુદી જુદી ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી પ્રશાંત રમેશભાઈ દુધરેજીયાને તક્સીરવાન ઠરાવી કેસમાં બે વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલમાં સેશન્સ કોર્ટે નીચેની અદાલતનો હુકમ યથાવત રાખ્યો છે અને આરોપી પ્રશાંત દુધરેજીયાને આઠ દિવસમાં હાજર થઈ જવા આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી અપીલમાં વકીલ ઉદયસિંહ ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial