Advertisement
Author: નોબત સમાચાર

એસઆરપીએફ ગ્રુપ-૧૭ ચેલા દ્વારા રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી

લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦ મી જન્મ જયંતી નિમિત્તે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર સ્થિત એસઆરપીએફ ગ્રુપ-૧૭, ચેલા દ્વારા અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦ મી જન્મ જયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એક્તા દિવસ'ની ભવ્ય અને ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે 'રન ફોર યુનિટી' અને 'રાષ્ટ્રીય એક્તા દિવસ શપથ' લેવડાવવામાં આવ્યા હતાં.

દેશની એક્તા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યે સમર્પણની ભાવનાને વધુ મજબૂત બનાવવાના હેતુસર યોજાયેલ આ કાર્યક્રમમાં જુથના સેનાપતિ કોમલ વ્યાસના માર્ગદર્શન તથા મદદનીશ સેનાપતિના અધ્યક્ષસ્થાને તમામ અધિકારીઓ અને સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતાં. સૌએ એક્તાના સૂત્રોચ્ચાર સાથે દોડ લગાવી રાષ્ટ્રભાવનાનું પ્રદર્શન કર્યું અને રાષ્ટ્રીય એક્તાનો મજબૂત સંદેશો આપ્યો હતો.

રાષ્ટ્રીય એક્તા દિવસની પૂર્વ સંધ્યાએ તા. ૩૦ ઓક્ટોબરના એસઆરપીએફ ગ્રુપ-૧૭, ચેલામાં શૌર્યપૂર્ણ વાતાવરણમાં શપથવિધિનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે સેનાપતિ દ્વારા કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દેશની એક્તા અને અખંડિતતા જાળવી રાખવા માટે રાષ્ટ્રીય એક્તા દિવસ શપથ લેવડાવવામાં આવ્યા. સેનાપતિએ આ અવસરે દેશની એક્તા અને અખંડિતતા માટે સરદાર પટેલે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી, સૌને બિરદાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, સરદાર સાહેબની દૂરંદેશી અને અડગ કાર્યોને કારણે જ આજના અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે, અને સૌને રાષ્ટ્રની એક્તા અને સુરક્ષા જાળવી રાખવાનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh