Advertisement
Author: નોબત સમાચાર

સલાયા લોહાણા મહાજન દ્વારા નવરાત્રિ ઉજવવાની તૈયારી પૂરજોશમાં

                                                                                                                                                                                                      

સલાય તા. ૯: સલાયા લોહાણા મહાજન દ્વારા આ વર્ષે પણ નવરાત્રિ ઉત્સવ ઉજવવામાં આવશે. સીત્તેર વર્ષથી નવરાત્રિ ઉજવવામાં આવે છે. સમસ્ત હિન્દુ સમાજની બાળાઓ તેમાં રાસ-ગરબા રહે છે.

નાની બાળાઓના ગરબા પછી બહેનો દ્વારા ફ્રી સ્ટાઈલ રાસ રમે છે. નવરાત્રિ ઉત્સવનું આયોજન સમિતિના પ્રમુખ સુરેશભાઈ બારાઈ, ઉપપ્રમુખ લાલજીભાઈ ભૂવા, સેક્રેટરી આનંદ લાલ તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. આ નવરાત્રિ ઉત્સવમાં માતાજીનું મંદિર તથા ગરબો ચાંદીના બનેલા છે, જે જામનગરના રૂગનાથ બદિયાણી પરિવાર તરફથી અર્પણ કરાયા છે. ચાંદથી મઢેલી ગરબી લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ તરફથી તથા સેક્રેટરી વૃજલાલ બથીયા તરફથી ભેટમાં મળેલ છે. આ નવરાત્રિના આયોજન માટે પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh