Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હતાઃ
જામનગર તા. ૧૫: કલ્યાણપુર તાલુકાના ગાગા ગામના એક પ્રૌઢ સોમવારની રાત્રિથી મંગળવારની સવાર સુધીમાં કોઈ રીતે નજીકમાં આવેલા એક ખેતરના કૂવામાં પડી ગયા પછી મોતને શરણ થયા છે. પ્રૌઢ વીસેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાગા ગામમાં રહેતા મહિપતસિંહ રઘુભા વાઢેર (ઉ.વ.પપ) નામના પ્રૌઢે સોમવાર રાત્રે નવ વાગ્યાથી મંગળવારની સવારના સાત વાગ્યા સુધીમાં ત્યાં આવેલા જયદીપસિંહ નટુભાના ખેતર પાસે જઈ કૂવામાં ભૂસકો મારી લીધો હતો.
આ બાબતની ગઈકાલે સવારે જાણ થતાં મહિપતસિંહને બહાર કાઢવામાં આવ્યા હતા. આ પ્રૌઢનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે. કલ્યાણપુર પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો છે અને જયદીપસિંહ નટુભા વાઢેરનું નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવ્યા મુજબ આ પ્રૌઢ વીસેક વર્ષથી માનસિક બીમારીનો ભોગ બન્યા હતા. સારવાર લેવા છતાં સારૂ થતું ન હતંુ. તે પછી મહિપતસિંહ કૂવામાં પડી ગયા પછી મોતને શરણ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial