Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં આતંકી વિસ્ફોટ પછી
નવી દિલ્હી/વોશિંગ્ટન/તેલઅવીલ તા. ૧૧: દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા વિસ્ફોટ બાદ અમેરિકાએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે સત્તાવાર સુરક્ષા એડવાઈઝરી (સલામતી સલાહ) જાહેર કરી છે.
અમેરિકી દુતાવાસે જારી કરેલી એડવાઈઝરીમાં તેના નાગરિકોને લાલ કિલ્લા અને ચાંદની ચોક આસપાસના વિસ્તારોથી દૂર રહેવા માટે જણાવ્યું છે. આ ઉપરાંત સલામતી માટે હંમેશાં જાગૃત રહેવું અને અણધારી પરિસ્થિતિઓ માટે તૈયાર રહેવું, તેમ પણ જણાવ્યું છે. આ એડવાઈઝરી ભારતમાં પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમેરિકા દ્વારા લેવાયેલું એક નિયમિત પગલું છે. જે સંભવિત ખતરાવાળી ઘટનાઓ બાદ તરત જ જાહેર કરવામાં આવે છે.
ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયૂવેન અઝારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ ઘટનાથી મારૃં હ્યદય ભાંગી પડ્યું છે. દિલ્હીના માર્ગો પર જે થયું તેનાથી હચમતી ગયા છીએ. આશા છે કે, ઘાયલો જલદી રિકવર થશે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના સુરક્ષાદળ અને બચાવ ટીમે સારૃં કામ કર્યુ. ઈઝરાયેલે પણ તેમના દેશના ભારત સ્થિત નાગરિકોને આ જ પ્રકારની સલાહ આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial