Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાના ચમત્કારિક સિકોતેર માતાજીના મંદિરે નવરાત્રિની ઉજવણીઃ ભક્તો ભાવવિભોર

ગરબા દરમિયાન જ ચમત્કાર થતો હોવાની માન્યતા

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૩૦: દેવભૂમિ દ્વારકા જિલ્લાના  ખંભાળીયામાં માતાજીના અતિ પ્રાચીન મંદિરો આવેલા છે. તેમાં ગાયત્રી ગરબા મંડળ દ્વારા જ્યાં નવરાત્રિમાં માતાજીના ગરબા-છંદો થાય છે તે જુની લોહાણા મહાજન વાડી પાસેના સિકોતેર સિંધવી માતાજીનું મંદિર અનોખું છે.

રોજ રાત્રેે ગાયત્રી ગરબા મંડળના પ્રવિણભાઈ ચગ સહિતના ભાવિકો અહીં ગરબા ગાય છે. વાજિંત્રો સાથે ગવાતા ગરબામાં ચાલુ ગરબામાં માતાજીની ચાખડીઓ તથા વજનદાર સિંહ અને અન્ય વસ્તુઓ ચમત્કારીક રીતે નીચે પડે છે.

નવાઈની વાત તો એ છે કે અગાઉના ગાયત્રી ગરબા મંડળના સ્વયં સેવકો દ્વારા ઢોલ-નગારા મોટેથી વગાડીને ચાખડી કે સિંહ પડે છે કે નહીં તેના પ્રયોગો થયા હતા પણ તે નિષ્ફળ થયા હતા. માતાજીના ગરબા સમયે આપ મેળેજ પડતી ચાખડીઓ અને સિંહ ભાવિકોને ખૂબજ ભાવવિભોર કરી દેતા હોય છે.

ચાલીસ જેટલા વર્ષોથી ગાયત્રી ગરબા મંડળ દ્વારા અહીં ચૈત્રી તથા આસો નવરાત્રિમાં માતાજીના ગરબા-છંદો ગવાય છે. તથા મંદિરમાં વિશેષ શણગાર સાથે દર્શન યોજાય છે. જેનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh