Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના શેઠવડાળામાં રહેતા પરિવાર સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

પરિણીતાએ પોલીસનું શરણું લીધુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામજોધપુરના શેઠવડાળામાં રહેતા સાસરિયા સામે ખંભાળિયા મહિલા પોલીસ મથકમાં એક પરિણીતાએ ત્રાસ આપી માર માર્યાની અને પતાવી દેવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા એક યુવતીના લગ્ન દસેક મહિના પહેલાં જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં કરવામાં આવ્યા પછી આ પરિણીતાને ઘરકામ બાબતે અવારનવાર ગાળો ભાંડી ત્રાસ આપવા ઉપરાંત ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી અપાઈ હતી.

આ પરિણીતાએ ખંભાળિયા સ્થિત મહિલા પોલીસ મથકમાં મયુર પંકજભાઈ મહેતા, પંકજ રેવાશંકર મહેતા, રીટાબેન પંકજભાઈ મહેતા, હર્ષદભાઈ પંકજભાઈ મહેતા સામે રાવ કરી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh