Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજચોરીના કેસની દાટી મરાઈ હતીઃ
જામનગર તા. ૫: જામજોધપુરની પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા એક વિદ્યુત સહાયક સામે ૧૩ વર્ષ પહેલાં રૂ.૬ હજારની લાંચ લેવા અંગે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામજોધપુર પીજીવીસીએલ કચેરીમાં વર્ષ ૨૦૧૨માં વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા ચંદુલાલ માધાલાલ પરમાર સામે એસીબી પોલીસ મથકમાં લાંચ માંગ્યાની ફરિયાદ કરાઈ હતી. એક આસામીના ખેતરે ચકાસણીમાં ગયેલા ચંદુલાલે વીજચોરીનો કેસ કરશે તેમ કહી લાંચ માંગ્યા પછી રૂ.૬ હજાર આપવાનું નક્કી થયું હતું, આસામીએ એસીબીમાં ફરિયાદ કરી હતી.
ગઈ તા.૩૦ ઓક્ટોબર ૨૦૧૨ના દિવસે ગોઠવાયેલા છટકામાં એસીબી સ્ટાફે રૂ.૬ હજારની પાવડરવાળી ચલણી નોટો સ્વીકારતા ચંદુભાઈ પરમારને દબોચી લઈ ગુન્હો નોંધ્યો હતો. ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવ્યો હતો.
આ કેસમાં ફરિયાદીની જુબાની લેવામાં આવે તે પહેલાં તેમનું અવસાન થયું હતું તેથી લાંચની પ્રથમ માગણી અંગેનો પુરાવો રેકર્ડ પર આવ્યો નથી અને કોઈ સરકારી કર્મચારી રોકડ સ્વીકારે તો તેના માત્રથી આ રકમ લાંચની હોવાનું અનુમાન કરી શકાય નહીં તેવી દલીલ બચાવપક્ષ દ્વારા કરવામાં આવી હતી. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ચંદુલાલ પરમારનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ ડો. વી.એચ. કનારા તથા તેમની ટીમના એસ.બી. વોરીયા, ડી.એન. ભેડા, વી.ડી. બારડ, આર.એ. સફીયા, રૂપાબેન વસરા, જે.એમ. નંદાણીયા, પી.ડી. વરૂ, વી.એસ. ખીમાણીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial