Advertisement
Author: નોબત સમાચાર

જામનગર અને આજુબાજુના ર૭ માંથી ૭ પુલ ક્ષતિગ્રસ્તઃ સર્વેમાં થયો ઘટસ્ફોટ

જામ્યુકોએ બે જર્જરિત બ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૦: જામનગર મહાનગરપાલિકા દ્વારા બન્ને જર્જરિત બ્રિજ નવા બનાવવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. જામનર મહાનગરપાલિકા દ્વારા કાલાવડ નાકા બહારનો મુખ્ય પુલ તેમજ સમર્પણ ચોકડી પાસેનો બેઠો પુલ કે જે બન્ને જર્જરિત અવસ્થામાં હોવાથી તે બન્ને બ્રિજ નવા બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરી હોવામાં આવી છે. જામનગર અને આજુબાજુના ર૭ માંથી ૭ પુલ ક્ષતિગ્રસ્ત હોવાનો ઘટસ્ફોટ થયો છે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીમાં મ્યુની કમિશનર મોદી દ્વારા તાજેતરમાં કાલાવડ નાકા બહારનો મુખ્ય બ્રિજ નવો બનાવવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી, અને સ્ટેન્ડીંગ કમિટી દ્વારા તે દરખાસ્ત મંજુર કરી દેવાઈ છે, અને ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. ચોમાસાની સિઝન પૂરી થાય ત્યાર પછી એકાદ માસમાં તે બ્રિજનું કામ શરૂ કરી દેવામાં આવશે તેવી સંભાવના જણાવાઈ છે.

આ ઉપરાંત અન્નપૂર્ણા ચોકડીનો બ્રિજ બનાવવા માટેની પણ ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, અને ટૂંક સમયમાં તે કામગીરી પણ પરિપૂર્ણ કરી લેવામાં આવશે, અને બ્રિજનું કામ પણ શરૂ કરી દેવાશે, તેમ મનપા દ્વારા જણાવાઈ રહ્યું છે.

બીજી તરફ જામનગર શહેર આસપાસના ર૭ પુલ પૈકીના ર૦ પુલ સહી સલામત હોવાનો સર્વેનો રિપોર્ટ આવ્યો છે. તેનો મતલબ એવો થાય કે ર૭ માંથી ૭ પુલ ક્ષતિગ્રસ્ત છે. બે પુલ જોખમી અવસ્થામાં છે, અને પાંચ પુલનો માઈનોર ક્ષતિઓ હોઈ, તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ હાથ ધરાશે તેમ જણાવાયું છે.

સર્વે મુજબ જામનગર શહેરના આજુબાજુ મહાપાલિકાની હદ વિસ્તારમાં જે ર૭ જેટલા બ્રિજ આવેલા છે, જેમાં રેલવે ઓવરબ્રિજ પણ આવી જાય છે. આ બ્રિજના સિઝ્યુઅલ ઈન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ર૦ જેટલા પુલમાં કોઈ ખામી ન હતી, જ્યારે પાંચ બ્રિજમાં માઈનોર પ્રકારની ક્ષતિ દર્શાવાઈ છે, અને બે બ્રિજ જોખમી સાબિત થયા છે, જેમાં સ્ટ્રક્ચરલ ખામીઓ જોવા મળી હતી.

જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના પદી પરના પુલ, રેલવે ઓવરબ્રિજ કોઝ-વે પ્રકારના ર૭ બ્રિજનું મહાપાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા અને સિવિલ શાખા દ્વારા વિઝ્યુઅલ ઈન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું.

ક્ષતિગ્રસ્ત બ્રીજો અંગેનો નિષ્ણાતોનો રિપોર્ટ મંગાવીને ક્ષતિઓ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બે બ્રિજ પર વધુ ખામીઓ મળી આવી છે, જેમાં કાલાવડ રોડ પરના હૈયાત બ્રિજ અને અન્નપૂર્ણા ચોકડી પહેલાનો બેઠો કોઝ-વે, આમાંથી કાલાવડ નાકા બહારના બ્રિજને તોડવાની અને નવો બ્રિજ બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેમજ બન્ને બ્રિજના છેડા પર ભારે વાહનોની અવરજવર રોકવા માટે સૂચના બોર્ડ તેમજ જરૂરી આડશ લગાવવાની કામગીરી પણ પૂર્ણ કરી લેવાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh