Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્ષત્રિય સમાજના અગ્રણીની પુણ્યતિથિ નિમિત્તે
ભાણવડ તા. ૯: ભાણવડ તાલુકાના હાથલા ગામના અને ક્ષત્રિય સમાજના આગેવાન સ્વ. ભીમભા રતનસંગ જેઠવાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જેઠવા પરિવાર દ્વારા ભાણવડના વિશ્વકર્મા મંદિરમાં જય સોમનાથ ગ્રુપ તથા સહયોગ ગ્રુપના સહકારથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન કરવા માટે શરૂઆતથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતાં. ભાઈઓ ઉપરાંત બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવસેવાના યજ્ઞમાં યોગદાન આપ્યું હતું. આ કેમ્પમાં ૬૦૬ બોટલ રક્ત એકત્ર થયું હતું.
જેઠવા પરિવાર દ્વારા દરેક રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતાં. પોરબંદરની રામ બ્લડ બેંક, જામનગરની વોલેન્ટરી બ્લડ બેંક, ખંભાળિયાની સરકારી હોસ્પિટલના તબીબો તથા ટીમે સેવા આપી હતી. ભાણવડની તમામ સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી કાર્યકરોએ જહેમત ઊઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial