Advertisement
Author: નોબત સમાચાર

"છોટી કાશી" ના બાલા હનુમાન મંદિરે મહાઆરતીમાં ઉમટ્યા ભક્તો

અખંડ રામધૂનના ૬૨મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ધર્મોત્સવઃ

                                                                                                                                                                                                      

"છોટી કાશી" કહેવાતા જામનગરમાં તળાવની પાળે આવેલ બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં બ્રહ્મલીન પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનના ૬૨મા વર્ષમાં મંગલ પ્રવેશ પર ગત સાંજે ૫૧ દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવાઝોડું, ભૂકંપ, કોરોના જેવી મહામારી તથા યુદ્ધની સ્થિતિ સહિતના વિપરીત સંજોગોમાં પણ અખંડ રામધૂનની સરવાણી અવરિત વહી છે. રામધૂનના ૬૧ વર્ષ પૂર્ણ થવાના અવસરે મહાઆરતીમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અને 'શ્રીરામ જય રામ જય જય રામ'ની ગૂંજ વચ્ચે મહાઆરતીમાં દિવ્ય વાતાવરણ સર્જાયુ હતું. ભક્તો આ પાવન ધર્મોત્સવનો લાભ લઈ ધન્ય થયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલની રાહબરી હેઠળ હોદ્દેદારો તથા સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh