Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુવાને કરી લીધા ઝેરના પારખાઃ
જામનગર તા. ૮: જામનગરના ઢીંચડા રોડ પર તિરૂપતિ પાર્કમાં રહેતા એક યુવાને રૂ.અઢી લાખ ૨૦ ટકાના વ્યાજે લીધા પછી રૂ.૬૦ હજાર ચૂકવ્યા પછી પણ મૂળ રકમની માગણી કરી વ્યાજે પૈસા ધીરનાર શખ્સે ધાકધમકી આપતા આ યુવાને ઝેરના પારખા કર્યા છે. પોલીસે તેની ફરિયાદ પરથી ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગરના ઢીંચડા રોડ પર આવેલા તિરૂપતિ પાર્ક-૭માં રહેતા લલીતભાઈ ચંદ્રકાંતભાઈ સુરાણી નામના વાણંદ યુવાને ચારેક મહિના પહેલા પૈસાની જરૂરિયાત ઊભી થતા ગાંધીનગર નજીકના મચ્છરનગરમાં રહેતા વિશ્વરાજસિંહ જાડેજા નામના શખ્સ પાસેથી રૂપિયા અઢી લાખ ૨૦ ટકાના વ્યાજે લીધા હતા.
આ વેળાએ વિશ્વરાજસિંહે રૂપિયા ૫૦,૦૦૦ વ્યાજ કાપીને રૂ.ર લાખ આપ્યા હતા અને તેની સામે બે કોરા ચેક પણ સહી કરાવીને લઈ લીધા હતા. ચાર મહિનામાં લલીતભાઈએ રૂપિયા ૬૦,૦૦૦ વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ રૂપિયા અઢી લાખની ઉઘરાણી કરી વિશ્વરાજસિંહે ધાક ધમકી આપતા નાસીપાસ થઈ ગયેલા લલિતે ગયા ગુરૂવારે સાંજે પોતાના ઘરે કોઈ જલદ પ્રવાહી પી લીધુ છે. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેણે પોલીસ સમક્ષ આપેલા નિવેદન પરથી સીટી સી ડિવિઝન પોલીસે વિશ્વરાજસિંહ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial