Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના વહાણોનું પોરબંદર ચેકપોસ્ટમાં ઈમિગ્રેશન શરૂ થતા વહાણવટીઓ ખૂશ

અખબારી અહેવાલોનો પડઘો

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૨: સલાયાના વહાણવટાનો સી ઈમિગ્રેશનનો પ્રશ્ન ઉકેલાયો, સલાયાના વહાણોનું ઈમિગ્રેશન પોરબંદર ઈમિગ્રેશન ચેક પોસ્ટે થશે.

સલાયા બંદરમાં છેલા બે માસથી સલાયાના વહાણોનું ઇમિગ્રેશન બંધ હતું. મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વહાણવટીઓ તેમજ તેમની સાથે જોડાયેલ લોકોને થઈ રહૃાું હતું. જે બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી.વિવિધ વર્તમાન પત્રોમાં પણ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. તે પછી ગુજરાત રાજ્ય ગાંધીનગર અધિક મહાનિર્દેશક (ઇન્ટેલિજન્સ) કચેરી દ્વારા આજથી લેખિતમાં સંબંધિત કચેરીઓને આ ઇમિગ્રેશન નજીકના ચેક પોસ્ટે ચાલુ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

આ હુકમમાં જેમાં જણાવ્યા મુજબ સલાયાના વહાણોનું સી ઇમિગ્રેશન પોરબંદર ઇમિગ્રેશન ચેક પોસ્ટે નિયમોનુસાર કરવામાં આવશે. આ પ્રક્રિયા ચાલુ કરાતા વહાણવટીઓમાં ખુશીની લહેર પ્રસરી છે.હાલ આ પ્રક્રિયા સબંધિત કાર્યવાહી ચાલુ કરવામાં આવશે.જેથી સલાયાના વહાણવટાનો વ્યવસાય ફરી ધમધમતો થશે.અનેક લોકોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ થશે.તમામ વહાણવટા સાથે જોડાયેલ સંસ્થાઓ અને પ્રતિનિધિ મંડળોએ સરકારનો આભાર માન્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh