Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં રવિવારે દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્યોઃ ધ્રોળમાં અડધો ઈંચ

જામજોધપુર-કાલાવડમાં વરસદી ઝાપટા વરસ્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: ભારે મેઘાડંબર વચ્ચે ગઈકાલે જામનગરમાં દોઢેક ઈંચ વરસાદ થયો હતો. એ સિવાય ત્રણ તાલુકા મથકમાં ઝાપટા વરસ્યા હતાં.

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી મેઘાવી માહોલ જોવા મળ છે, પરંતુ મેઘમહેર થતી નથી. ગઈકાલે પણ જામનગરમાં વરસાદી માહોલ જામ્યો હતો અને દિવસ દરમિયાન ૪૦ મી.મી. વરસાદ વરસ્યો હતો, જો કે શહેરના અમુક વિસ્તારમાં જ વરસ્યો હતો. અને અમુક વિસ્તારમાં કોરા ધાકોડ રહ્યા હતાં.

આ ઉપરાંત ધ્રોળમાં ૧પ મી.મી. વરસાદ વરસી ગયો હતો જ્યારે કાલાવડમાં પાંચ મી.મી. અને જામજોધપુરમાં બે મી.મી. વરસાદી ઝાપટું વરસ્યું હતું, જ્યારે જોડિયા અને લાલપુરમાં મેઘરાજાએ હાજરી આપી ન હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh