Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાચીનકાળમાં ભગવાનના અંશાવતાર નર અને નારાયણે તપ કરવાની ભાવના સાથે બદરીકાવનમાં આશ્રમ બનાવ્યો. તેમણે ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે, ' આ સ્થળે તમે પાર્થિવ લિંગ સ્વરૂપે બીરાજો.' ભગવાન શિવજીએ તેમની પ્રાર્થના સ્વીકારી અને નર-નારાયણ દ્વારા નિર્મિત શિવલીંગમાં પ્રવેશ કરી નિવાસ કર્યો.
નર-નારાયણે પરમ શ્રદ્ધા સાથે શિવલીંગની ષોડશોપચારે પૂજા કરી અને કઠીન તપસ્યા કરવા લાગ્યા. તેઓ નિરાહર તથા જીતેન્દ્રીય રહીને રાત-દિવસ ભગવાન શિવજીનું ચિંતન કરતા હતા. તેમના જીવનમાં માત્ર એક જ કાર્ય રહ્યું હતું. આ પ્રકારે તપ કરતા કરતા ઘણો જ સમય વ્યતિત થઈ ગયો. ત્યારે ભગવાન શ્રી શિવજી સાક્ષાત પ્રગટ થઈને બોલ્યા, ' હે નર-નારાયણ હું તમારી તપસ્યાથી અત્યંત પ્રસન્ન થયો છું. તમે જે ઈચ્છા ધરાવતા હો તે વરદાન માંગો.'
શંકર ભગવાનના વચનો સાંભળી અને નર-નારાયણએ હાથ જોડી પ્રાર્થના કરી કે, ' હે દેવાધિદેવ, જો તમે અમારા પર પ્રસન્ન થયા તો એવું વરદાન આપો કે આ તીર્થક્ષેત્રમાં તમે સદા નિવાસ કરો. જે આ ક્ષેત્રમાં આવી ભક્તો તમારી પૂજા કરે તેનો તમે સ્વીકાર કરો. અને તેમને સંસાર બંધન માંથી મુક્ત કરો.
ભગવાન સદાશિવે તેમની પ્રાર્થના સ્વીકારી લીધી અને જ્યોતિ સ્વરૂપ સ્વયં તે તીર્થમાં નિવાસ કરવા લાગ્યા. આ જયોર્તિલીંગ કેદારેશ્વર મહાદેવ એવા નામથી જગમાં વિખ્યાત થયા. આ સ્થાન પર આવીને અનેક દેવતાઓ તથા અસંખ્ય મુનિયોએ ભગવાન શિવજીની આરાધના કરી ઈચ્છીત ફળની પ્રાપ્તિ કરી.
એક વખત પાંડવો આ પવિત્ર બદરીકારશ્રમમાં ગયા. ભગવાન શિવજીએ તેમને ત્યાં જોયા એટલે પાડાનું રૂપ લઈ અને ત્યાંથી ચાલવા માંડ્યું. પરંતુ પાંડવોએ ભગવાનના ચરણ પકડી ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી. તેમની સ્તુતિ સાંભળી ભક્તવત્સલ ભગવાન પ્રસન્ન થયા અને પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તેમણે પાંડવોને અનેક વરદાન આપી સંસારમાં અનેક પ્રકારના સુખ આપી જીવનના અંતે તેમને પરમપદ આપ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial